Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

ઇસ્લામની વિચારધારા:

શું ઇસ્લામમાં સદાચારીઓ અને ન્યાયીઓ છે? શું મુસ્લિમ પયગંબર મુહમ્મદના સહાબાઓને પવિત્ર કરે છે?

એક સદાચારી મુસલમાન પયગંબર મુહમ્મદના સહાબાનું અનુસરણ કરે છે, તેમની સાથે મોહબ્બત કરે છે, અને તેમની જેમ નેક બનવાનો પ્રયત્ન કરે છે, અને ફક્ત એક જ અલ્લાહની ઈબાદત કરે છે જેવી રીતે તેઓ કરતા હતા, પરંતુ તેઓ તેમને પવિત્ર નથી કરતા, અને ન તો પોતાની અને પોતાના પાલનહાર વચ્ચે મધ્યસ્થ બનાવે છે.

અલ્લાહ તઆલા કહે છે:

"... અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ ..."[૧૬૮]. (આલિ ઇમરાન: ૬૪).

શિઆ અને સુન્ની વચ્ચે શું ફર્ક છે?

મુહમ્મદ ﷺ ન તો શિઆ હતા ન તો સુન્ની, તેઓ તો સાચા મુસલમાન હતા, અને મસીહ ન તો કેથોલિક હતા ન તો બીજા કોઈ, તેઓ કોઈ પણ મધ્યસ્થ વગર ફક્ત એક અલ્લાહના બંદા હતા, અને મસીહ ન તો પોતાની ઈબાદત કરતા હતા ન તો પોતાની માતાની, એવી જ રીતે મુહમ્મદ ﷺ એ ક્યારેય પોતાની ઈબાદત નથી કરી, ન તો પોતાની દીકરીઓની ન તો પોતાની પત્નીઓની.

રાજકીય સમસ્યાઓ અને સાચા ધર્મથી ફરી જવા અથવા અન્ય બીજા કારણે કેટલાક જૂથો (સંપ્રદાયો) જાહેર થયા, અને સાચું છે કે તે સત્ય છે કે તેમનું સાચા ધર્મ સાથે કોઈલેવા દેવા નથી, દરેક સ્થિતિઓમાં "સુન્નત" શબ્દનો અર્થ નબી ﷺ ના તરીકા પર સંપૂણ રીતે અમલ કરવો, "શિઆ" શબ્દનો અર્થ લોકોનું તે જૂથ જે મુસલમાનોના સાચા માર્ગથી પથભ્રષ્ટ થયું છે. જેથી સુન્ની તે લોકો છે, જેઓ નબી ﷺ ના તરીકા પર ચાલે છે, અને તેઓ દરેક રીતે સાચા માર્ગ પર ચાલવા વાળા છે, જયારે કે શિઆ એક એવું જૂથ છે જે ઇસ્લામના સાચા માર્ગથી હટી ગયું છે.

અલ્લાહ તઆલા કહે છે:

"(હે પયગંબર) નિ:શંક જે લોકોએ પોતાના દીનને અલગ કરી દીધો અને કેટલાય જૂથ બની ગયા, તમારો તેમની સાથે કોઇ સંબંધ નથી, બસ ! તે લોકોનો નિર્ણય તો ફકત અલ્લાહ પાસે જ છે, પછી તેઓને તેમના કર્મો જણાવી દઈશું"[૧૬૯]. (અલ્ અન્આમ: ૧૫૯).

શું ઇસ્લામમાં ઈમામ ઈસાઈઓના પાદરીઓ જેવા છે?

ઈમામ શબદનો અર્થ જે લોકોને નમાઝ પઢાવતો હોઈ, અથવા તેમની બાબતો અને મઆમલામાં દેખરેખ અથવા આગેવાની કરતો હોય, આ કોઈ ધાર્મિક પદ નથી, જે ફક્ત ચોક્કસ લોકો સુધી સીમિત હોઈ, અને ઇસ્લામમાં કોઈ જૂથ કે જ્ઞાતિવાદ નથી, પરંતુ દીન દરેક માટે છે, લોકો અલ્લાહ સમક્ષ કાંસકીના દાંતરડા જેવા છે, એટલા માટે કોઈ અરબી અને બિન અરબીમાં કોઈ ફર્ક નથી, સિવાય કે જે પરહેઝગાર કે સદાચારી હોઈ. ઈમામત માટે સૌથી લાયક તે છે, જે નમાઝના આદેશોને સંપૂણ રીતે જાણવાવાળો અને સૌથી વધારે યાદ કરનાર અને ઇલ્મ ધરાવનાર હોઈ, અને મુસલમાને એક ઈમામની કેટલી પણ ઇઝ્ઝત કેમ ન કરતા હોઈ તે કોઈ પણ બાબતમાં કરારોને સંભાળતો નથી અને ન તો તે તેમના ગુનાહો માફ કરે છે, જેમ કે પાદરી કરતો હોઈ છે.

અલ્લાહ તઆલા કહે છે:

"તે લોકોએ પોતાના જ્ઞાનીઓ અને સાધુઓને અલ્લાહને છોડીને રબ બનાવ્યા અને મરયમના દીકરા મસીહને પણ, જો કે તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે તે એક અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરશો, જેના સિવાય કોઈ ઇલાહ નથી, અલ્લાહ તઆલા તે દરેક વસ્તુથી પાક છે, જેમને આ લોકો ભાગીદાર બનાવે છે"[૧૭૦]. (અત્ તૌબા: ૩૧).

ઇસ્લામ પયગંબરોની ઇઝ્ઝત કરવા પર ભાર આપે છે, જેઓ અલ્લાહ તરફથી આદેશો પહોંચાડે છે, અને કોઈ પણ પાદરી કે સંત ભૂલોથી બચેલો નથી અને ન તો તેમની તરફ વહી કરવામાં આવે છે, અને ઇસ્લામમાં સંપૂણ રીતે અન્ય પાસે મદદ માંગવી અથવા તેની તરફ ફરવું હરામ છે, ભલે તે પછી પયગંબરો પણ કેમ ન હોઈ, તો જેની પાસે કોઈ વસ્તુનું અછત હોઈ તે આપી શકતો નથી. એક વ્યક્તિ અન્ય પાસે મદદ કેવી રીતે માંગી શકે છે જયારે કે તે પોતાની પણ મદદ કરી શકતો નથી, અને અલ્લાહ સિવાય અને પાસે માંગવું એ અપમાનજનક છે. શું તે શક્ય છે એક બાદશાહ અને તની કોમને માંગવા બાબતે બરાબર કરી દેવામાં આવે એ તાર્કિક છે? આ વિચાર મન અને તર્ક બંને માટે તદ્દન અસ્વીકાર્ય છે. અને અલ્લાહ સિવાય અન્ય પાસે માંગવું એ અલ્લાહ, જે દરેક વસ્તુ પણ સંપૂણ કુદરત ધરાવે છે તેના અસ્તિવ પર ઈમાનમાં ખલેલ છે, અને આ શિર્ક છે જે ઇસ્લામની વિરુદ્ધ છે અને તે સૌથી મોટો ગુનોહ છે.

અલ્લાહ તઆલા એ પોતાના પયગંબરના શબ્દોમાં કહ્યું:

" તમે કહી દો કે હું પોતે મારા માટે કોઇ ફાયદા તેમજ કોઈ નુકસાનનો અધિકાર નથી ધરાવતો, અલ્લાહ જે કંઈ ઈચ્છે તે જ થાય છે, અને જો હું ગેબની વાતો જાણતો હોત તો ઘણી ભલાઈઓ પ્રાપ્ત કરી લેતો, અને મને કઈ પણ તકલીફ ન પહોંચતી, હું તો ફકત ચેતવણી આપનાર અને શુભેચ્છક છું, તે લોકો માટે જેઓ ઈમાન રાખે છે"[૧૭૧]. (અલ્ અઅરાફ : ૧૮૮).

અને કહેવામાં આવ્યું :

"હે ! પયગંબર કહી દો કે હું તો તમારી જેમ એક માનવી જ છું, (હા પરંતુ) મારી તરફ વહી કરવામાં આવે છે, કે ખરેખર તમારો ઇલાહ ફક્ત એક જ ઇલાહ છે, તો જે કોઈ પોતાના પાલનહાર સાથે મુલાકાત કરવાની ઈચ્છા ધરાવતો હોય તો તેણે નેક કાર્યો કરવા જોઈએ, પોતાના પાલનહારની ઈબાદતમાં કોઈને પણ ભાગીદાર ન ઠેરવે" [૧૭૨]. (અલ્ કહફ: ૧૧૦).

"અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે, બસ ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો"[૧૭૩]. (અલ્ જિન્ન: ૧૮).