Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

સર્જકે પોતાના બંદાઓ માટે પસંદ કરેલો દીન:

દીન શું છે?

દીને એ જીવન જીવવાનો માર્ગ છે, જે માનવી માટે તેના સર્જક સાથે અને તેની આસપાસના લોકો સાથેના સંબંધને નિયંત્રિત કરે છે, અને તે આખિરતનો માર્ગ છે.

દીનની જરૂર કેમ છે?

ખાવા-પીવાની જરૂરિયાત કરતાં પણ વધુ દીન જરૂરી છે. માણસ સ્વભાવે ધાર્મિક (ધર્મના આદેશો પર અમલ કરનાર) છે, તેથી જો તેને સાચા દીનનું માર્ગદર્શન આપવામાં નહીં આવે, તો તે પોતાના માટે એક ધર્મની શોધ કરશે, જે લોકો દ્વારા શોધાયેલો હશે, જેવું કે મૂર્તિપૂજક ધર્મોમાં થયું છે. માનવીને આ દુનિયામાં શાંતિની એવી જ રીતે જરૂર છે જેવી રીતે તેને આ જીવનમાં અને મૃત્યુ પછી શાંતિની જરૂર હોય છે.

સાચો દીન (ધર્મ) તે છે, જે તેના અનુયાયીઓને બંને જગતમાં સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. ઉદાહરણ તરીકે:

જો આપણે કોઈ રસ્તા પર ચાલતા હોઈએ અને તેનો અંત આપણને ખબર ન હોય, તો આપણી પાસે બે વિકલ્પો છે: કાં તો રસ્તામાં લાગેલા સાઈનબોર્ડ પર લખેલી સૂચનાઓનું પાલન કરવું પડશે, અથવા અનુમાન લગાવવાનો પ્રયાસ કરીશું, જેનાથી આપણે ખોવાઈ જઈશું અથવા નષ્ટ થઇ જઈશું.

વધુમાં, જો આપણે ટેલિવિઝન ખરીદવા માંગતા હોઈએ અને મેન્યુઅલનો ઉપયોગ કર્યા વિના તેને ચલાવવાનો પ્રયાસ કરીએ, તો આપણે તેને ખરાબ કરી દઈશું, ટેલિવિઝન જે એક જ ફેક્ટરી દ્વારા ઉત્પાદિત થાય છે તે આપણા સુધી પહોંચી છે, દાખલા તરીકે, તે જ માર્ગદર્શિકા સાથે જે અન્ય દેશમાં મોકલવામાં આવી છે, તેથી આપણે તે જ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ.

બીજું ઉદાહરણ, જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે સંપર્ક કરવા માંગે છે, ત્યારે તે બીજી વ્યક્તિએ તેને સંભવિત સ્ત્રોતો વિશે જાણ કરવી જોઈએ, જેવું કે તેને ફોન પર વાત કરવાનું કહેવું, ઇમેલ દ્વારા નહીં, પ્રથમ વ્યક્તિએ ચોક્કસ ફોન નંબરનો ઉપયોગ કરવો જોઈએ જે બીજાએ તેને આપ્યો છે અને તે અન્ય કોઈ નંબરનો ઉપયોગ કરી શકશે નહીં.

અગાઉના ઉદાહરણો આપણને બતાવે છે કે માનવી પોતાની અંગત ઈચ્છાઓનું પાલના કરીને તે અલ્લાહની ઈબાદત કરી શકતો નથી કારણ કે આમ કરવાથી તે બીજાને નુકસાન પહોંચાડતા પહેલા પોતાને જ નુકસાન પહોંચાડશે. કેટલાક રાષ્ટ્રો વિશ્વના પાલનહાર સાથે વાતચીત કરવા માટે પૂજા સ્થાનોમાં નૃત્ય કરે છે અને ગાય છે, જ્યારે અન્ય લોકો તેમની માન્યતાઓ અનુસાર ઇલાહને જાગૃત કરવા માટે તાળીઓ પાડે છે. અન્ય લોકો મધ્યસ્થી લઈને અલ્લાહની ઈબાદત કરે છે અને વિચારે છે કે અલ્લાહ માનવ અથવા પથ્થરના રૂપમાં હોય છે. અલ્લાહ આ રીતે આપણને આપણી જાતથી બચાવવા માંગે છે, જ્યારે આપણે તેની ઈબાદત કરીએ છીએ જે આપણને ક્યારેય લાભ અથવા નુકસાન પહોંચાડી શકશે નહીં; તેના બદલે તે આખિરતમાં આપણા વિનાશનું કારણ બની શકે છે. બસ અલ્લાહ સાથે અન્યની ઈબાદત કરવી તે મોટો ગુનોહ ગણવામાં આવે છે, અને તેની સજા હંમેશા માટે જહન્નમમાં રહેવું છે. આ અલ્લાહની મહાનતા માંથી છે, જેણે આપણા માટે એક સિસ્ટમ બનાવી છે, જેને "દીન (ધર્મ)" કહેવામાં આવે છે, જેનું આપણે સૌ પાલન કરીએ છીએ, અને તેની સાથે આપણે આપણો સંબંધ નિયંત્રિત કરીએ છીએ, અને પોતાની આસપાસના લોકો સાથેનો પણ સંબધ નિયંત્રિત કરીએ છીએ.