Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

ઇસ્લામ અને ઈસાઈય્યત (ખ્રિસ્તી ધર્મ) વચ્ચે:

મૂળ પાપ વિષે ઇસ્લામનો મંતવ્ય શું છે?

માનવીઓને જે અલ્લાહએ સબક શીખવાડ્યો છે, કે અલ્લાહ એ માનવીઓના પિતા આદમની તૌબા કબૂલ કરી એક હરામ વૃક્ષને ખાવા પર, જે માનવીઓ માટે અલ્લાહની માફીનો પહેલો કિસ્સો છે, આદમ દ્વારા વરસામાં મળેલી ભૂલ વિષે ઈસાઈઓનો અકીદો અર્થહીન છે, કે કોઈ ભાર ઉઠાવવા વાળો બીજાનો ભાર નહીં ઉઠાવે, બીજા શબ્દોમાં, દરેક વ્યક્તિ પોતે જ પોતાની ભૂલોનો જવાબદાર છે; આ પાલનહારની કૃપા છે કે માનવી શુદ્ધ અને ગુનાહોથી પવિત્ર જન્મે છે, અને પોતાની જયારે પુખ્તવય (તરુણાવસ્થા) નો થાય છે ત્યારે જ પોતાના કાર્યોનો જવાબદાર બને છે.

અને કોઈ વ્યક્તિથી તે ગુનાહો વિષે સવાલ કરવમાં નહીં આવે, જે તેણે કર્યા ન હોઈ, અને એવી જ રીતે તે પોતાના ઈમાન અને સત્કાર્યો વગર નજાત મેળવી શકશે નહીં, અલ્લાહ એ માનવીને જીવન આપ્યું અને તેનું પરીક્ષણ કરવાનો ઈરાદો કર્યો, અને તેને પોતાના કાર્યોનો સંપૂણ જવાબદાર ઠેરાવ્યો.

અલ્લાહ તઆલા એ કહ્યું:

"...અને કોઇ કોઇનો ભાર નથી ઉઠાવે, પછી સૌએ તમારા પાલનહાર તરફ જ પાછા ફરવાનું છે, તમને તે જણાવી દેશે જે કંઈ તમે કરતા હતા, નિ:શંક તે હૃદયોની વાતોને પણ સારી રીતે જાણે છે"[૧૭૬]. (અઝ્ ઝુમર: ૭).

વધુ એ કે જુના કરારમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો:

"પિતાને તેની સંતાનના બદલામાં કતલ કરવામાં નહી આવે અને ન તો સંતાનને તેના પિતાનાં બદલામાં, દરેક વ્યક્તિને તેના ગુનાહો (પાપો) ની સજા આપવામાં આવે છે"[૧૭૭]. (સિફ્રુત્ તષ્નિયહ: ૧૬: ૨૪).

જેમકે માફી ન્યાય સાથે સંમતી ધરાવતી નથી, એવી જ રીતે ન્યાય, માફી અને કૃપા ને રોકવાવાળું નથી.

મસીહના ફાંસી પર ચઢવા વિશે ઇસ્લામનો મંતવ્ય શું છે?

પેદા કરવાવાળો ઇલાહ, જીવિત, કાયમ, બે નિયાઝ અને કુદરત વાળો છે, તેને માનવજાતિ માટે મસીહની છબી અપનાવી ક્રોસ પર મારવાની જરૂર નથી, જેવુંકે ઈસાઈઓ માને છે, તે જે છે જે જીવન આપવા વાળો અને લેવાવાળો છે, એટલા માટે ન તો તેનું મૃત્યુ થયું છે ન તો તે ફરી જીવિત થયો છે. તે જ છે જેણે પોતાના પયગંબર ઈસા (મસીહ) ને કતલ અને ફાંસી થવાથી બચાવ્યા, જેવી રીતે કે તેણે પોતાના પયગંબર ઈબ્રાહીમને આગથી બચાવ્યા હતા, અને મૂસાને ફિરઓન અને તેના સિપાહીઓથી બચાવ્યા હતા, આવી જ રીતે તે પોતાના નેક બંદાઓની મદદ અને સુરક્ષા કરે છે.

અલ્લાહ તઆલા કહે છે:

"અને એવું કહેવાના કારણે કે અમે અલ્લાહના પયગંબર મસીહ ઈસા બિન મરયમને કતલ કરી દીધા, જો કે તેઓએ તેમને ન તો કતલ કર્યા છે અને ન તો ફાંસીએ ચઢાવ્યા છે, પરંતુ તેમના માટે આ બાબત શંકાસ્પદ કરી દીધો, અને જે લોકોએ આ બાબતે મતભેદ કર્યો તે પોતે પણ શંકા કરી રહ્યો છે, તેમને સત્ય વાતની કોઈ જાણ નથી, ફક્ત અનુમાન કરી તેની પાછળ ચાલી રહ્યા છે, અને આ સચોટ વાત છે કે તેઓએ ઈસા બિન મરયમને કતલ નથી કર્યા. (૧૫૭) પરંતુ અલ્લાહ તઆલાએ તેમને પોતાની તરફ ઉઠાવી લીધાં હતા, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતોવાળો છે"[૧૭૮]. (અન્ નિસા: ૧૫૭-૧૫૮).

મુસલમાનો કેમ પોતાની દીકરીઓના લગ્ન ઇસીઈઓ અથવા યહૂદીઓ સાથે કરતા નથી?

એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજોનું પાલન કરવાની સંપૂણ સ્વતંત્રતા આપે છે, તેનાથી વિરુદ્ધ, જોકે સાચું નથી, જો કોઈ ઈસાઈ અથવા યહૂદી એવું ઈમાન ધરાવે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (મઅબૂદ) નથી અને મુહમ્મદ અલ્લાહના પયગંબર છે તો અમે આમારી દીકરીઓના લગ્ન તેમની સાથે કરી શકી એ છીએ.

ઇસ્લામ એ ઈમાનમાં વધારો અને સંપૂણતા કરે છે, જો કોઈ મુસલામન ઈસાઈ (ખ્રિસ્તી) ધર્મ અપનાવી લે, ઉદાહરણ તરીકે તે પોતાનું ઈમાન જે કુરઆન અને મુહમ્મદ પર છે તે ખોઈ દે શે, અને તે ટ્રિનિટી (તષલીષ) (૧) પર ઈમાન લાવી અને પાદરીઓ અને અન્ય લોકોનો સહારો લઇ પોતાના પાલનહાર સાથે સંબંધ ખોઈ દે છે, અને જો તે યહૂદી ધર્મ અપનાવવા માંગતો હોઈ, તો તેને મસીહ અને સાચી ઇન્જિલ પર ઈમાન ખોઈ દેવું પડશે, પરંતુ કોઈને પણ યહૂદી ધર્મમાં દકાહ્લ કરવું શક્ય નથી; કારણકે આ એક કોમ માટે મર્યાદિત ધર્મ છે અને સમગ્ર માનવજાતિ માટે નથી, અને આ ધર્મમાં રાષ્ટવાદ સંપૂણ રીતે જોવા મળે છે.