Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

જીવનનો હેતુ:

આ દુનિયામાં જીવનનો મુખ્ય હેતુ શું છે?

જીવનનો મુખ્ય હેતુ ક્ષણિક સુખનો આનંદ માણવાનો નથી; તેના બદલે તે અલ્લાહની ઓળખ અને તેની ઈબાદત દ્વારા ઊંડી આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો છે.

આ સાચો ધ્યેય પ્રાપ્ત કરવાથી શાશ્વત આનંદ અને સાચા સુખની પ્રાપ્તિ થશે. તેથી, જો આ અમારું પ્રાથમિક ધ્યેય છે, તો આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સમસ્યાઓ અથવા મુશ્કેલીઓનો સામનો કરવો તુચ્છ ગણાશે.

ચાલો એવી વ્યક્તિની કલ્પના કરીએ કે જેણે ક્યારેય કોઈ દુઃખ કે પીડાનો અનુભવ કર્યો નથી, આ વ્યક્તિ, તેના વૈભવી જીવનના કારણે પાલનહારને ભૂલી ગયો છે, અને તેથી તેનું સર્જન જે માટે કરવામાં આવ્યું છે, તેમાં તે નિષ્ફળ છે, આ વ્યક્તિની સરખામણી એવી વ્યક્તિ સાથે કરો કે જેણે કષ્ટ અને પીડાના અનુભવો જોયા હોય અને તે તેને પોતાના પાલનહાર તરફ લઈ ગયા છે, અને તે જીવનમાં તેનો હેતુ પણ સિદ્ધ કરી લીધો હોય. ઇસ્લામિક ઉપદેશોના પરિપ્રેક્ષ્યમાં, જે વ્યક્તિની વેદના તેને પાલનહાર તરફ દોરી જાય છે, તે વ્યક્તિ કરતાં વધુ સારી છે, જેણે ક્યારેય દુઃખ સહન કર્યું નથી અને જેની ખુશીઓ તેને તેનાથી દૂર લઈ ગઈ છે.

દરેક વ્યક્તિ આ જીવનમાં એક ધ્યેય હાંસલ કરવા માટે પ્રયત્ન કરે છે અને ઘણી વખત ધ્યેય તેની પાસે રહેલી માન્યતા પર આધારિત હોય છે. જે વસ્તુ આપણને ધર્મમાં મળે છે પણ વિજ્ઞાનમાં નથી મળતી, તે કારણે વાજબીપણું છે જેના માટે માણસ પ્રયત્ન કરે છે.

ધર્મ એ કારણને સ્પષ્ટ કરે છે કે જેના માટે માણસનું સર્જન થયું અને જીવન અસ્તિત્વમાં આવ્યું, જ્યારે વિજ્ઞાન એક સાધન છે અને તેની કોઈ હેતુ કે વ્યાખ્યા નથી.

ધર્મ અપનાવતી વખતે વ્યક્તિને સૌથી વધુ જે ડર લાગે છે તે જીવનના આનંદથી વંચિત રહેવાનો છે, લોકોમાં પ્રચલિત માન્યતા એ છે કે ધર્મનો અર્થ આવશ્યકપણે અલગતા છે, અને ધર્મે જે વસ્તુની મંજૂરી આપે છે ફક્ત તેના સિવાય બધું જ પ્રતિબંધિત છે.

આ એ જ ભૂલ છે, જે ઘણા લોકોએ કરી અને તેમને ધર્મથી વિમુખ કરી દીધા છે. ઇસ્લામિક ધર્મ, વિચારને સુધારવા માટે આવ્યો છે, જે એ છે કે મૂળ માણસ માટે કઈ વસ્તુ હલાલ અને માન્ય છે અને કઈ વસ્તુ હરામ અને અમાન્ય છે અને કોઈ તેની સાથે અસંમત નથી.

અને તે ધર્મ વ્યક્તિને સમાજના તમામ સભ્યો સાથે એકીકૃત થવા માટે કહે છે અને ભાવના અને શરીરની જરૂરિયાતો અને અન્યના અધિકારો વચ્ચે સંતુલન જાળવવાનું કહે છે.

ધર્મથી દૂર રહેલા સમાજો સામે સૌથી મોટો પડકાર એ હોય છે કે દુષ્ટ અને ખરાબ માનવ વર્તનનો સામનો કેવી રીતે કરવો જોઈએ, તમે વિચલિત લોકોને અટકાવવા માટે માત્ર સૌથી ગંભીર સજાઓ શોધી શકો છો.

"જીવન અને મૃત્યુ એટલા માટે બનાવ્યું કે તે તમારી કસોટી કરે કે તમારા માંથી સારું કાર્ય કોણ કરે છે" [૮૭]. (અલ્ મુલ્ક: ૨).

સાંસારિક જીવનની કિંમત શું છે?

વિદ્યાર્થીઓ જ્યારે નવા કાર્યકારી જીવનનો સંપર્ક કરે છે ત્યારે તેઓને રેન્ક અને ગ્રેડ પર અલગ પાડવા માટે પરીક્ષા બનાવવામાં આવી છે, પરીક્ષા ટૂંકી હોવા છતાં તે આગળના નવા જીવન તરફ વિદ્યાર્થીનું ભાવિ નક્કી કરે છે. તેવી જ રીતે, આ જગતનું જીવન, ટૂંકુ હોવા છતાં મનુષ્ય માટે અજમાયશ અને પરીક્ષાના ઘર જેવું છે, જેથી જ્યારે તેઓ મૃત્યુ પછીના જીવનની નજીક આવશે ત્યારે તેઓ ડિગ્રી અને હોદ્દા પર અલગ પાડવામાં આવશે. વ્યક્તિ આ જગતમાંથી પોતાના કર્મોથી બહાર આવે છે અને ભૌતિક વસ્તુઓ સાથે બહાર આવતો નથી, વ્યક્તિએ સમજવું અને જાણવું જોઈએ કે તેણે આ જગતમાં મૃત્યુ પછીના જીવન માટે અને મૃત્યુ પછીના જીવનમાં ઈનામ મેળવવા માટે શું કામ કરવું જોઈએ.

વ્યક્તિ માટે સુખ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

માનવ સુખ પાલનહારના આદેશો પર અમલ કરવાથી, તેની આજ્ઞાનું પાલન કરવાથી અને તેના હુકમ અને તકદીરથી સંતુષ્ટ થવાથી પ્રાપ્ત થાય છે.

ઘણા લોકો દાવો કરે છે કે દરેક વસ્તુ આંતરિક રીતે અર્થહીન છે, અને તેથી અમે પરિપૂર્ણ જીવન જીવવા માટે પોતાને માટે અર્થ શોધવા માટે સ્વતંત્ર છીએ. આપણા અસ્તિત્વના હેતુને નકારવું એ હકીકતમાં આત્મ-છેતરપિંડી છે, એવું લાગે છે કે આપણે આપણી જાતને કહીએ છીએ, "ચાલો ધારીએ કે ઢોંગ કરીએ કે આ જીવનમાં આપણો હેતુ છે." જાણે કે આપણી પરિસ્થિતિ એવા બાળકો જેવી છે જેઓ રમવાનો ઢોંગ કરે છે કે તેઓ ડોકટરો, નર્સો અથવા માતાઓ અને પિતા છે. જ્યાં સુધી આપણે આપણા જીવનનો હેતુ જાણતા નથી ત્યાં સુધી આપણે સુખ પ્રાપ્ત કરી શકતા નથી.

જો કોઈ વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ વૈભવી ટ્રેનમાં બેસાડવામાં આવે, અને તે પોતાને પ્રથમ વર્ગમાં, વૈભવી અને આરામદાયક અનુભવ, મોજશોખ અનુભવે. શું તે આ પ્રવાસમાં આ પ્રકારના પ્રશ્નોના જવાબો મેળવ્યા વિના ખુશ થશે: તમે ટ્રેનમાં કેવી રીતે પહોંચ્યા? સફરનો હેતુ શું છે? તમે ક્યાં જઈ રહ્યા છો? જો આ પ્રશ્નો અનુત્તર રહે તો તે કેવી રીતે ખુશ થઈ શકે? જો તે પોતાના અધિકારમાં તમામ મોજશોખનો આનંદ માણવાનું શરૂ કરે તો પણ તે ક્યારેય સાચુ સુખ પ્રાપ્ત કરી શકશે નહીં. શું આ સફરમાં સ્વાદિષ્ટ ભોજન તેને આ પ્રશ્નો ભૂલી જવા માટે પૂરતું હશે? આ પ્રકારની ખુશી અસ્થાયી અને બનાવટી હશે, જે આ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો શોધવા માટે ઇરાદાપૂર્વક અવગણના કરી પ્રાપ્ત કરવામાં આવે છે. આમ, વ્યક્તિ માટે સાચું સુખ પ્રાપ્ત થશે નહીં જ્યાં સુધી તેને આ અસ્તિત્વના પ્રશ્નોના જવાબો નહી મળે.