Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

ફરિશ્તાઓ, જિન અને શૈતાનમાં શું ફરક છે?

ફરિશ્તાઓ: તે અલ્લાહનું એક સર્જન છે, પરંતુ તે એક મહાન સર્જન છે, તેમને નૂર વડે પેદા કરવામાં આવ્યા છે, તેઓને સત્કાર્યો કરવા માટે પેદા કરવામાં આવ્યા છે, તેઓ થાક્યા વગર પવિત્ર અલ્લાહની તસ્બીહ (પવિત્રતા) વર્ણન કરે છે અને ઈબાદત કરે છે.

"તે રાત-દિવસ અલ્લાહનો ઝિકર કરે છે અને થોડીક પણ આળસ નથી કરતા"[૭૬]. (અલ્ અંબિયા: ૨૦).

"...અલ્લાહ તેમને જે આદેશ આપે, તેની અવજ્ઞા નથી કરતા, અને તે જ કરે છે, જેનો તેમને આદેશ આપવામાં આવે છે"[૭૭]. (અત્ તહ્રીમ: ૬).

તેમના પર ઈમાન રાખવું એ મુસલમાનો, યહૂદીઓ અને ઈસાઈઓ વચ્ચે એક સામાન્ય વાત છે, તેમાંથી જિબ્રઈલ છે, જેમને અલ્લાહ એ પોતાની અને પોતાના પયગંબરો વચ્ચે એક સંદેશાવાહક બનાવ્યા છે, તે તેમના પર વહી ઉતરતો હતો ( જે તે પયગંબરો સુધી પહોચાડતા હતા) મીકાઈલ વરસાદ વરસાવવા આવે વૃક્ષોના કામ સંભાળે છે, ઇસ્રાફીલ જે કયામતના દિવસે સૂરમાં ફૂંક મારશે, વગેરે.

અને જિન: તેઓ અદ્રશ્ય દુનિયાના છે, તેઓ પૃથ્વી પર અમારી સાથે રહે છે અને તેમને અલ્લાહનું અનુસરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને મનુષ્યોની જેમ જ તેમની આજ્ઞાભંગ કરવા પર પ્રતિબંધ છે; જો કે, આપણે તેમને જોઈ શકતા નથી, તેઓને અગ્નિમાંથી બનાવવામાં આવ્યા હતા, જ્યારે માણસ માટીમાંથી બનાવવામાં આવ્યો હતો. અને અલ્લાહ એ એવા કિસ્સાઓ વર્ણન કર્યા છે, જે જિનોની શક્તિ અને ક્ષમતાને સ્પષ્ટ કરે છે, કોઈ પણ શારિરીક દખલગીરી અને બબડાટ વિના, પરંતુ તેઓ ગૈબની વાતો જાણતા નથી અને એક પાકા મોમિનને કોઈ નુકસાન પહોચાડી શકતા નથી.

"... નિઃશંક શેતાન પોતાના દોસ્તોના દિલોમાં શંકાઓ અને વિવાદાસ્પદ વાતો ઉભી કરતો રહે છે, જેથી તેઓ તમારી સાથે ઝઘડો કરતા રહે"[૭૮]. (અલ્ અન્આમ: ૧૨૧).

અને શેતાન: તે દરેક હદવટાવી જનાર, બળવાખોર છે, પછી ભલે તે મનુષ્યો માંથી અથવા જિન માંથી હોય.

મૃત્યુ પછી ફરી જીવિત થઇ ઉભા થવાની દલીલ શું છે?

સૃષ્ટિ અને ઘટનાઓ તમામ પુરાવા એ હકીકત સૂચવે છે કે જીવનમાં પુનર્નિર્માણ અને સર્જન થતું રહે છે, આના ઘણા ઉદાહરણો છે, જેમકે, વરસાદ જમીનને તેના મૃત્યુ પછી ફરી જીવિત કરે છે.

અલ્લાહ તઆલા કહે છે:

"તે (અલ્લાહ) જ જીવિતને મૃત માંથી અને મૃતને જીવિત માંથી કાઢે છે અને તે જ ધરતીને તેના મર્યા પછી જીવિત કરે છે, આવી જ રીતે તમને (પણ મૃત્યુ પછી જમીન માંથી) ઉઠાડવામાં આવશે"[૭૯]. (અર્ રૂમ: ૧૯).

અને મૃત્યુ પછી ફરી જીવિત થવાનો બીજો પુરાવો એ સૃષ્ટિની સખત સિસ્ટમ છે, જેમાં કોઈ ખામી નથી, અત્યંત મિનિટનું ઇલેક્ટ્રોન પણ અણુની અંદર એક ભ્રમણકક્ષામાંથી બીજી ભ્રમણકક્ષામાં ખસેડી શકતું નથી, અહીં સુધી કે તે પોતાની હલનચલન જેટલી ઉર્જા આપ લે ન કરે, શું તમે આ સિસ્ટમમાં કલ્પના કરી શકો છો કે જગતના પાલનહાર દ્વારા હિસાબ કે સજા કર્યા વિના ખૂની છટકી જાય છે અથવા જાલિમ ભાગી જાય.

અલ્લાહ તઆલા કહે છે:

"શુ આ લોકો એવું સમજે છે કે અમે તેમને બેકાર પેદા કર્યા છે, અને તેમને અમારી તરફ પાછા ફરવાનું નથી? (૧૧૫) અલ્લાહ તઆલા સાચો બાદશાહ છે, તે ઘણો જ ઉચ્ચ છે, તેના સિવાય કોઈ ઇલાહ નથી, તે જ પ્રતિષ્ઠિત, અર્શનો માલિક છે"[૮૦]. (અલ્ મુઅમિનૂન: ૧૧૫-૧૧૬).

"શું તે લોકો, જેઓ દુષ્કર્મ કરે છે, એવું વિચારે છે કે અમે તેમને એવા લોકો માંથી કરી દઇશું, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્ય કર્યા, કે તેમનું મૃત્યુ પામવું અને જીવિત રહેવું સરખું બની જાય. ખરાબ છે તે નિર્ણય, જે તેઓ કરી રહ્યા છે.(૨૧) અને આકાશો તથા ધરતીનું સર્જન અલ્લાહ તઆલાએ ખૂબ જ ન્યાય પૂર્વક કર્યું છે, જેથી દરેક વ્યક્તિને તેણે કરેલ કાર્યોનો સંપૂર્ણ બદલો આપવામાં આવે અને તેમના પર જુલમ કરવામાં નહી આવે"[૮૧]. (અલ્ જાષિયહ: ૨૧-૨૨).

શું આપણે આ જીવનમાં નથી જોતા કે આપણે આપણા ઠોસ સંબંધીઓને ખોઈ દઈએ છીએ, અને આપણે જાણીએ છીએ કે આપણે પણ એકને એક દિવસ મૃત્યુ પામવાના છીએ, પરંતુ આપણે દિલમાં એવો અનુભવ કરીએ છીએ કે આપણે હંમેશા જીવિત રહેવાના છીએ. જો માનવ શરીર ભૌતિક કાયદાના માળખામાં ભૌતિક જીવનના માળખામાં કોઈ આત્મા વિના જે પુનરુત્થાન થાય છે અને જવાબદાર હોય છે, તો સ્વતંત્રતાની આ જન્મજાત ભાવનાનો કોઈ અર્થ હોતો નથી, કારણ કે આત્મા સમયને પાર કરે છે અને મૃત્યુને પાર કરે છે.

અલ્લાહ મૃતકોને કેવી રીતે જીવિત કરે છે?

અલ્લાહ મૃતકોને એવી રીતે જ જીવિત કરે છે જે રીતે પહેલી વખતમાં તેમણે પેદા કર્યા હતા.

અલ્લાહ તઆલાએ કહ્યું:

"હે લોકો ! જો તમને તમારા મૃત્યુ પછી ફરી જીવિત થવામાં કોઈ શંકા હોય તો (તમને જાણ હોવી જોઈએ કે) અમે તમને માટી વડે પેદા કર્યા, પછી વીર્યના ટીપા વડે, પછી લોહીથી, પછી માંસ વડે, જેને ક્યારેક ઘાટ આપવામાં આવે છે અને ક્યારેક આપવામાં નથી આવતો, જેથી અમે તમારા પર (પોતાની કુદરતને) જાહેર કરી દઈએ, અને અમે જે વીર્યના ટીપાને ઇચ્છીએ તેને એક નક્કી કરેલ સમય સુધી માતાના ગર્ભમાં રાખીએ છીએ, પછી તમને બાળક બનાવી દુનિયામાં લાવીએ છીએ, પછી (તમારો ઉછેર કરીએ છીએ) જેથી તમે પોતાની યુવાવસ્થામાં પહોંચી જાવો, પછી તમારા માંથી કેટલાકને મૃત્યુ આપી દેવામાં આવે છે અને કેટલાકને વૃદ્વાવસ્થા સુધી જીવિત રાખવામાં આવે છે, જેથી તે એક વસ્તુને જાણવા છતાં અજાણ બની જાય, તમે જોશો કે ધરતી સૂકી છે, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે ઊપજે છે અને ફૂલે છે અને દરેક પ્રકારની લોભામણી ઉપજો ઉપજાવે છે"[૮૨]. (અલ્ હજ્જ: ૫).

"શું માનવીને એટલી પણ ખબર નથી કે અમે તેનું સર્જન એક ટીપા વડે કર્યું ? પછી તરત જ તે ખુલ્લો ઝઘડો કરવાવાળો બની ગયો.(૭૭) અને તેણે આપણા માટે ઉદાહરણ આપ્યું અને પોતાની જન્મને ભૂલી ગયો, કહેવા લાગ્યો, આ સડી ગયેલા હાડકાંઓને કોણ જીવિત કરી શકશે?(૭૮) તમે તેમને જવાબ આપી દો કે આ હાડકાને તે જીવિત કરશે, જેણે તેમનું સર્જન પ્રથમ વાર કર્યું હતું, જે દરેક પ્રકારના સર્જનને ખૂબ સારી રીતે જાણે છે"[૮૩]. (યાસીન: ૭૭-૭૯).

"બસ ! તમે અલ્લાહની કૃપાની નિશાનીઓને જુઓ કે નિષ્પ્રાણ ધરતીને કેવી રીતે અલ્લાહ તેને જીવિત કરે છે ? કોઇ શંકા નથી કે તે જ મૃતકોને જીવિત કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે"[૮૪]. (અર્ રૂમ: ૫૦).